28.9 C
Ahmedabad
Tuesday, July 14, 2026

અષાઢ અમાસ: આ ખાસ ઉપાયોથી દૂર થશે પિતૃદોષ અને આર્થિક મુશ્કેલીઓ!


અષાઢ અમાસ: આ ખાસ ઉપાયોથી દૂર થશે પિતૃદોષ અને આર્થિક મુશ્કેલીઓ!

હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસે પિતૃ તર્પણ કરવાથી અને પૂર્વજોના નામે દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો આર્થિક તંગી દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. 14 જુલાઈના રોજ અષાઢ અમાસ છે. જીવનમાં સુખ-શાંતિ અને પ્રગતિ લાવવા માટે આ દિવસે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો:

અષાઢ અમાસના ખાસ ઉપાયો

  • સફળતા માટે: જો તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગતા હોવ, તો અમાસના દિવસે તુલસીના ક્યારામાંથી થોડી માટી લો અને તેમાં પાણી ભેળવી લેપ બનાવો. આ લેપને શરીર પર લગાવીને સ્નાન કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરો. કહેવાય છે કે, આનાથી પ્રગતિના નવા દ્વાર ખુલે છે.

  • શત્રુઓથી મુક્તિ માટે: શત્રુઓથી છુટકારો મેળવવા માટે, ભગવાન વિષ્ણુના 12 નામોનું સ્મરણ કરતા તેમને પીળા ફૂલ અર્પણ કરો. (અચ્યુત, અનંત, દામોદર, કેશવ, નારાયણ, શ્રીધર, ગોવિંદ, માધવ, હૃષીકેશ, ત્રિવિક્રમ, પદ્મનાભ અને મધુસુદન). ત્યારબાદ સાંજના સમયે આ ફૂલોને વહેતા પાણીમાં પધરાવી દો અથવા પીપળાના ઝાડ નીચે મૂકી દો. આનાથી શત્રુઓ પરાસ્ત થશે.

  • પિતૃદોષ નિવારણ: જો તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો અમાસના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને વસ્ત્રોનું દાન ચોક્કસ કરો. આનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે.

  • નજરદોષથી બચવા: જો તમે ઈચ્છતા હોવ કે તમારી પ્રગતિને કોઈની નજર ન લાગે, તો અમાસના દિવસે કંઈક નમકીન (મીઠાવાળી વસ્તુ) લઈને ગાયને ખવડાવો. આનાથી તમારી પ્રગતિ સુરક્ષિત રહેશે.

  • ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે: જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તે માટે એક આખું (કાચું) નારિયેળ લો, તેના પર સ્વાસ્તિક બનાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પૂજા પછી આ નારિયેળ પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દો. આનાથી જીવનમાં હંમેશા ખુશીઓ રહેશે.

  • નકારાત્મક ઉર્જા દૂર કરવા: ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે, અમાસના દિવસે સ્નાન કર્યા પછી હળદરમાં પાણી ભેળવીને પેસ્ટ બનાવો. ત્યારબાદ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સ્વાસ્તિકનું નિશાન બનાવો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહેશે, જેનાથી આર્થિક તંગી દૂર થશે.

Disclaimer:

કોઈપણ ઉપાય કે ધાર્મિક વિધિ કરતા પહેલાં તમે તમારી શ્રદ્ધા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. અમે આ માહિતીની સચોટતા અથવા પરિણામની કોઈ પણ પ્રકારની ગેરંટી આપતા નથી. વ્યક્તિગત સમસ્યાઓ માટે નિષ્ણાત જ્યોતિષી અથવા ધર્મગુરુની સલાહ લેવી વધુ હિતાવહ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -