39 C
Ahmedabad
Wednesday, June 17, 2026

મોતનું રહસ્ય? જન્મદિવસ ઉજવ્યા બાદ તુર્કીશ એક્ટ્રેસ ઈસે ઈરતેમનું શંકાસ્પદ મોત, સુપરહિટ સીરીયલ ‘વન લવ’ની હિરોઈનના અવસાનથી ચાહકો સ્તબ્ધ


તુર્કીની મશહૂર ટેલિવિઝન અભિનેત્રી ઈસે ઇરતેમનું 35 વર્ષની નાની ઉંમરે નિધન થયું છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી પોતાના જન્મદિવસના બીજા જ દિવસે ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. જોકે, શરૂઆતી તપાસ મુજબ તેમના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ઈસે ઇરતેમે સુપરહિટ ટીવી ડ્રામા ‘વન લવ’ માં ‘ઇશિલ’નું યાદગાર પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીના અચાનક થયેલા અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના આત્મહત્યાની અફવાઓ પણ ઉડી રહી છે, પરંતુ હવે તેમના વકીલે આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ઈસે ઇરતેમનો જન્મ ક્યારે થયો હતો?

તમને જણાવી દઈએ કે ઈસે ઇરતેમનો જન્મ 14 જૂન 1991ના રોજ થયો હતો. તેમણે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ જન્મદિવસના બીજા જ દિવસે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી પોતાની માતા સાથે રહેતી હતી. ઈસે ઇરતેમ પોતાના જ ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેમને હોસ્પિટલ પહોંચાડી બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. પ્રાથમિક માહિતી મુજબ તેમનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું મનાય છે. પરંતુ હજી પણ વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

ઈસે ઇરતેમના વકીલે શું કહ્યું?

દિવંગત અભિનેત્રી ઈસે ઇરતેમના વકીલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આત્મહત્યાની અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે. અભિનેત્રીના વકીલ ઉગુર ગોકકોયુને જણાવ્યું કે, આ તમામ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે અને સત્તાવાર તબીબી તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ઈસે ઇરતેમે તુર્કીશ ટીવી ડ્રામા ‘વન લવ’ માં ભજવેલા ઇશિલના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. પરંતુ આ લોકપ્રિય અભિનેત્રીના અચાનક નિધને ટીવી જગત સહિત તેમના લાખો ચાહકોને હચમચાવી દીધા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -