અમરેલીમાં સિંહણનો આતંક: રાત્રે વતન જવા નીકળેલા યુવકનો શિકાર કર્યો, માત્ર માથુ વધ્યું

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કોવાયા નજીક સિંહણે એક યુવક પર હિંસક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનો અને શ્રમિકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.
🛑 મધરાતે વતન જતી વખતે બની ઘટના
આ કરૂણ ઘટના કોવાયા ગામ પાસે આવેલા ટીપીપી (TPP) પાવર પ્લાન્ટની સામે ઘટી હતી. અહીં એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો અને મૂળ ઉત્તરાખંડનો વતની પ્રકાશ ચંદ્ર નામનો યુવક મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન અચાનક એક હિંસક સિંહણે તેના પર ત્રાટકીને હુમલો કર્યો હતો અને તેને ઢસડીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી. ઘટના એટલી ભયાનક હતી કે વનવિભાગને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી માત્ર યુવકની ખોપરી અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા હતા.
🚨 ૫ દિવસમાં બીજી ઘટના: વનવિભાગની કાર્યવાહી
આ વિસ્તારમાં છેલ્લા 5 જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સીમ વિસ્તારમાં સિંહોની અવરજવર વધતાં લોકો રાત્રે કે વહેલી સવારે બહાર નીકળતા ડરી રહ્યા છે.
વનવિભાગ દ્વારા લેવાયેલા પગલાં:
-
સ્કેનિંગ દરમિયાન વનવિભાગને આ વિસ્તારમાં 4 સિંહોના એક ગ્રુપની હાજરી હોવાનું માલૂમ પડ્યું હતું.
-
વનવિભાગના એસીએફ (ACF) વિરલસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર ગ્રુપમાંથી
-
૧ સિંહને બેભાન (ટ્રાન્ક્વિલાઈઝ) કરીને પાંજરે પૂરવામાં આવ્યો છે.
-
ગ્રુપના અન્ય સિંહોને પકડવા માટે વ્યાપક રેસ્કયૂ ઓપરેશન ચાલુ કરી દેવાયું છે.
-
વનવિભાગે લોકોને અપીલ કરી છે કે સિંહોની અવરજવર વાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને શંકાસ્પદ હલચલ જણાય તો વનવિભાગને તુરંત જાણ કરવી.
🏛️ ધારાસભ્ય હીરા સોલંકીની સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત
રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ માનવીઓ પર વધી રહેલા સિંહોના હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ગંભીર મામલે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરતા જણાવ્યું કે:
“વિસ્તારમાં વન્યજીવોની સંખ્યા વધી રહી છે. તે જોતાં તેમનું યોગ્ય મોનિટરિંગ કરવા માટે અને માનવ જિંદગીઓ બચાવવા માટે વનવિભાગમાં પૂરતો સ્ટાફ હોવો અનિવાર્ય છે. સરકારે તાત્કાલિક ધોરણે અહીં સ્ટાફની સંખ્યા વધારવી જોઈએ.”
- Advertisement -
- Advertisement -