પ્રહલાદ જોશીને સોંપાયો શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ નવી જવાબદારી મળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ જવાબદારીને પૂરતી નિષ્ઠા અને નમ્રતા સાથે સ્વીકારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે. તેના માટે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અને પીએમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું વચન આપ્યું છે.
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને મુખ્ય કારણો:
-
નીટ (NEET) પેપર લીક વિવાદ: નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થયા બાદ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા.
-
સરકારી પગલાં: વિવાદ બાદ સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં મોટા ફેરફારો કર્યા અને 47 અધિકારીઓને બરતરફ કરીને તેમની સામે ફોજદારી ગુના નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
-
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: આ વિવાદના અંતિમ પરિણામ રૂપે, તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
પ્રહલાદ જોશીના મુખ્ય નિવેદનો:
-
આભાર વ્યક્ત કર્યો: પીએમ મોદીના છેલ્લા 12 વર્ષના શાસનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ થઈ હોવાનું તેમણે જણાવ્યું.
-
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP): છેલ્લા 4-5 વર્ષમાં ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસીને સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી હોવાના કાર્યોને તેમણે બિરદાવ્યા.
-
વચન: વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આગામી રણનીતિ અને કડક કાયદો:
-
વધારાનો પ્રભાર: હાલમાં પ્રહલાદ જોશી પાસે તેમના મૂળ ‘ઉપભોકતા મામલાના મંત્રાલય’ સાથે શિક્ષણ મંત્રાલયનો પણ વધારાનોભાર છે. અને આગામી દિવસોમાં સરકાર નવા કાયમી શિક્ષણ મંત્રીની જાહેરાત કરી શકે છે.
-
પેપર લીક વિરોધી બિલ: સરકારનું મુખ્ય ધ્યાન ચોમાસુ સત્ર દરમિયાન પેપર લીક અટકાવવા માટેના નવા કાયદાને પસાર કરવા પર છે.
-
કાયદાની જોગવાઈઓ: આ સંશોધન વિધેયક અંતર્ગત પેપર લીક કરનાર દોષિતોને ૩ મહિનાની અંદર સજા સંભળાવવામાં આવશે. જેમાં 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -