વડાપ્રધાન મોદી મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય બન્યા, કહ્યું – આ ઐતિહાસિક સંબંધો માટે સન્માન છે

મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે PM નરેન્દ્ર મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’ એનાયત કર્યો છે. ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ વડા પ્રધાન મોદીને આ સન્માન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે.. આ બીજા દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલો 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. રામગુલામે કહ્યું કે,, મોદી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પાંચમા વિદેશી નાગરિક છે.
મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે PM નરેન્દ્ર મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’ એનાયત કર્યો છે. ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ વડા પ્રધાન મોદીને આ સન્માન આપવામાં આવ્યું છે. મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે. આ બીજા દેશ દ્વારા પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલો 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. રામગુલામે કહ્યું કે,,મોદી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પાંચમા વિદેશી નાગરિક છે.
ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે એવું લાગે છે કે હું મારા પોતાના લોકો વચ્ચે છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ બન્યા છે. મોરેશિયસના નાગરિકોને તેમના રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમણે કહ્યું, દસ વર્ષ પહેલાં આ દિવસે હું મોરેશિયસ આવ્યો હતો. આ હોળીના એક અઠવાડિયા પછીની મુલાકાત હતી અને હું મારી સાથે ‘ફગવાહ’નો આનંદ લઈને આવ્યો હતો. આ વખતે હું હોળીના રંગો મારી સાથે ભારત લઈ જઈશ..
- Advertisement -
- Advertisement -