ગોવિંદગુરુ લીમડી તાલુકામાં દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે સહિત પાંચ વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત ખેડૂતોના પડતર પ્રશ્નો અને મૂળભૂત સુવિધાઓ બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી ગઠિત 16 ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા સતત બીજા દિવસે પણ ખેડૂત આગેવાનોની ટીમને સાથે રાખી વિવિધ ગામોમાં ગ્રામસભાઓ યોજવામાં આવી હતી.


