30.8 C
Ahmedabad
Tuesday, August 11, 2026

હરિયાળી અમાસ પર વર્ષનું બીજું સૂર્યગ્રહણ: જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ, યોગ્ય સમય અને નિયમો


વર્ષ ૨૦૨૬નું બીજું સૂર્યગ્રહણ હરિયાળી અમાસના દિવસે લાગવા જઈ રહ્યું છે. ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ અમાસ અને સૂર્યગ્રહણનું એકસાથે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ સંયોગ માનવામાં આવે છે. એક તરફ જ્યાં શ્રાવણ અમાસ (હરિયાળી અમાસ) પર સ્નાન-દાન, પિતૃ તર્પણ અને મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો બીજી તરફ સૂર્યગ્રહણના સૂતક કાળ દરમિયાન પૂજા-પાઠ કરવાની મનાઈ હોય છે. તો ચાલો જાણીએ કે સૂર્યગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે અને તેનો સૂતક કાળ ક્યારે આરંભ થશે.

સૂર્યગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે?

આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ લાગવા જઈ રહ્યું છે. આ દિવસે શ્રાવણ અમાસ પણ ઉજવવામાં આવશે. ભારતીય સમયાનુસાર, સૂર્યગ્રહણનો આરંભ રાત્રે ૯:૦૪ વાગ્યે થશે અને સમાપ્તિ રાત્રે ૧:૨૮ વાગ્યે થશે.

જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન મંદિરના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે. આ સિવાય ગ્રહણના સમયે રસોડાના તમામ કામ બંધ થઈ જાય છે. એટલું જ નહીં, ગ્રહણ કાળ દરમિયાન ખાવા-પીવાની પણ મનાઈ હોય છે. ગ્રહણના સમયે મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ. જેનાથી ગ્રહણનો પ્રભાવ ઓછો થાય છે.

સૂર્યગ્રહણનો સૂતક કાળ ક્યારે શરૂ થશે?

સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના ૧૨ કલાક પહેલાં શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. સૂતક કાળ દરમિયાન ભોજન કરવા અને બનાવવાની પણ મનાઈ હોય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂતક કાળ દરમિયાન પૃથ્વીનું વાતાવરણ દૂષિત થાય છે. સૂતકનાં અશુભ દોષોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી પડે છે. ગ્રહણ દરમિયાન સગર્ભા મહિલાઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે, નહિતર બાળક પર ગ્રહણનો ખરાબ પ્રભાવ પડી શકે છે.

સૂતક કાળ લાગશે કે નહીં?

૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ લાગનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂત્વ કાળ પણ માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ પશ્ચિમી યુરોપ, પશ્ચિમી આફ્રિકા, ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ, ઉત્તર-એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર પ્રશાંત મહાસાગરમાં નજરે પડશે.

શ્રાવણ અમાસ પર સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. આથી, શ્રાવણ અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા પર ગ્રહણની કોઈ અસર થશે નહીં.

આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી હોય છે. મંત્ર નીચે મુજબ છે:

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -