ગુજરાતમાં રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી શરૂઆત
ગુજરાતને બાળ લકવા (પોલિયો) મુક્ત રાખવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘પલ્સ પોલિયો અભિયાન’નો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ નાનાં ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવીને આ ઝુંબેશની પ્રતિકાત્મક શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અભિયાનની મહત્વની વિગતો એક નજરે:
-
લક્ષ્યાંક: રાજ્યના 0 થી 5 વર્ષની વય જૂથના 83.49 લાખથી વધુ બાળકોને આવરી લેવાશે.
-
આરોગ્ય ટીમ: 65,994 જેટલી આરોગ્ય ટીમો મેદાને ઉતરશે.
-
સુપરવિઝન: 6,599 સુપરવાઇઝર્સ આ સમગ્ર કામગીરીનું સીધું માર્ગદર્શન કરશે.
-
પોલિયો બૂથ: સમગ્ર રાજ્યમાં કુલ 32,997 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે.
બે દિવસ ચાલશે ‘હાઉસ ટુ હાઉસ’ સર્વે
28 જૂન 2026, રવિવારના દિવસને ‘પોલિયો રવિવાર’ તરીકે મનાવીને આ મહાઅભિયાન શરૂ કરાયું છે. જે બાળકો રવિવારે બૂથ સુધી નથી પહોંચી શક્યા, તેમના માટે 29 અને 30 જૂન દરમિયાન આરોગ્ય કર્મીઓ ઘરે-ઘરે (હાઉસ ટુ હાઉસ) ફરીને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી સુનિશ્ચિત કરશે.
ઉપસ્થિત મહાનુભાવો:
આ પ્રારંભિક કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી સહિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ અને બાળકોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -