ટાટા ગ્રુપની શક્તિશાળી સંસ્થાઓ—સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ—ની આજે 8 મેના રોજ યોજાનારી બેઠક છેલ્લી ઘડીએ સ્થગિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોર્પોરેટ જગતમાં અનેક અટકળો વહેતી થઈ છે.
1400 કરોડનું આંધણ પણ કમાણી માત્ર 6 કરોડ!જાણો વિશ્વની સૌથી મોટી FLOP ફિલ્મ વિશે; શું તમે આ ફિલ્મ જોઈ છે?
બેઠક મોકૂફ રહેવા પાછળની વિગત
-
અચાનક વિલંબ: સવારે 9 વાગ્યે વેણુ શ્રીનિવાસન સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાઈ ગયા હોવા છતાં, આઈટી એડમિનિસ્ટ્રેટર દ્વારા બેઠક પાછી ઠેલવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
-
નવી તારીખ: ટાટા ટ્રસ્ટ્સના સીઈઓ સિદ્ધાર્થ શર્માએ પુષ્ટિ કરી છે કે હવે આ બેઠક 16 મેના રોજ યોજાશે. જોકે, વિલંબનું ચોક્કસ કારણ હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
એજન્ડામાં સામેલ સંભવિત મોટા ફેરફારો
આ બેઠક ટાટા ગ્રુપના ભવિષ્ય માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર મંથન થવાની શક્યતા છે:
-
બોર્ડમાં ફેરબદલ: વેણુ શ્રીનિવાસનની વિદાય થઈ શકે છે અને તેમના સ્થાને ટાઇટનના પૂર્વ એમડી ભાસ્કર ભટને ટ્રસ્ટના નોમિની ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
-
વાઇસ-ચેરમેન પદ પર સસ્પેન્સ: વહીવટી માળખાને આધુનિક બનાવવા માટે ‘વાઇસ-ચેરમેન’નું પદ કાયમી ધોરણે નાબૂદ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.
-
ગવર્નન્સ અને સત્તા: ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના આર્ટિકલ 121A હેઠળની સત્તાઓ અને કાર્યક્ષેત્ર બાબતે ટ્રસ્ટના સભ્યોમાં ગંભીર મતભેદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
-
લિસ્ટિંગનો મુદ્દો: ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવી કે નહીં, તે અંગે પણ સભ્યોમાં વિભિન્ન મંતવ્યો છે.
આંતરિક ખેંચતાણ અને ભવિષ્યની દિશા
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કેટલીક ગ્રુપ કંપનીઓના પ્રદર્શન અને બોર્ડમાં પ્રતિનિધિત્વ મુદ્દે અસંતોષ જોવા મળ્યો છે. વારંવાર બદલાતી બેઠકની તારીખ સૂચવે છે કે,મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેતા પહેલા ટ્રસ્ટીઓ વચ્ચે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરનના કાર્યકાળ અને તેમની ભાવિ યોજનાઓ પર પણ આ બેઠકમાં મહોર લાગી શકે છે.હવે સમગ્ર ઉદ્યોગ જગતની નજર 16 મે પર ટકેલી છે,કારણ કે આ દિવસે લેવાનારા નિર્ણયો ટાટા સામ્રાજ્યની આગામી વર્ષોની દિશા નક્કી કરશે.