ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ભાજપ સંગઠનને વધુ વેગવંતું બનાવવા માટે વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.આ નૂતન માળખામાં સક્રિય યુવા કાર્યકરોની પસંદગી કરીને પક્ષ દ્વારા આગામી સમય માટે મજબૂત રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

કિસાન અને બક્ષીપંચ મોરચામાં નવી નિમણૂંક
દહેગામ તાલુકાના યુવા અગ્રણી સચિન રાજુભાઈ ચૌધરીની તેમની સંગઠનશક્તિ અને લોકપ્રિયતાને ધ્યાને રાખીને દહેગામ તાલુકા કિસાન મોરચાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નો અને ગ્રામીણ સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે તેમને આ મહત્વની જવાબદારી સોંપાઈ છે.





