ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાના રખિયાલ ગામમાંથી 3 સપ્ટેમ્બર અને બુધવારે સંઘનું પાવાગઢ જવા પગપાળા પ્રસ્થાન થયું હતું..સવારે સૌ પ્રથમ રખિયાલ મહાકાળી મંદિર ખાતે માતાજી મહાકાળીની પૂજા અર્ચના તેમજ આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું..સાથો સાથ મહાકાળી માતા મંદિરે ખાતે ધજારોહણ પણ કરવામાં આવ્યું હતું.ગામ લોકો પણ વાંચતે ગાજતે ડીજેના તાલ સાથે નાચગાન સાથે સંઘને રખિયાલના સીમાડો એવા સામેત્રી ચાર રસ્તા સુધી મુકવા ગયા હતા.



પાંચમા દિવસે અને ભાદરવી પૂનમ અને રવિવાર મહાકાળી માતાના ભક્તો દ્વારા માતાજીને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી.











