POK ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થપાઈ જશે : એસ.જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે,, પાકિસ્તાને જે ભાગ ચોરી લીધો છે તે હવે તેના પરત આવવાની રાહ જોઈ રહ્યું છે.પીઓકે ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થપાઈ જશે. લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે,, જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ હતી.
એક વ્યક્તિએ વિદેશ મંત્રીને કાશ્મીરના ઉકેલ અંગે પ્રશ્ન પૂછ્યો હતો… આ અંગે તેમણે કહ્યું કે,, કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ કલમ 370 દૂર કરવામાં આવી છે… ત્યારબાદ કાશ્મીરમાં સામાજિક ન્યાય અને આર્થિક પ્રવૃત્તિઓની સાથે વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.ત્યારબાદ મતદાન સારા મતદાન સાથે થવાનું હતું. હવે આપણે બધા પાકિસ્તાન પાસેથી ચોરાયેલા કાશ્મીરના તે ભાગના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ..અને જે દિવસે આ થઈ જશે તે દિવસે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.
- Advertisement -
- Advertisement -