ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું, 44 રનથી મેચ જીતી, આ ટીમ સામે સેમિફાઇનલ રમશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતીય ટીમ હાલમાં અજય રથ પર સવારી કરી રહી છે…ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી મેચ જીતી છે..ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી.આ મેચમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 44 રનથી જીતી હતી.
મેચના હીરો મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી બન્યા. ઐયરે પહેલી બેટિંગમાં ફિફ્ટી ફટકારી. આ પછી, વરુણે 5 વિકેટ લીધી અને ન્યુઝીલેન્ડને હરાવ્યું.
ભારતીય ટીમે 4 માર્ચે દુબઈમાં જ સેમિફાઇનલ રમવાની છે. આ મેચ ગ્રુપ B માં બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે..જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનો બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરમાં રમાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. તેણે રચિન રવિન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. રવિન્દ્ર (6) ને હાર્દિક પંડ્યાની બોલ પર અક્ષર પટેલે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (22) ને પણ વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો. આ સાથે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 49 રન થઈ ગયો.અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિશેલે મળીને ત્રીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી..
ડેરિલ મિશેલની ઇનિંગનો અંત ચાઇનામેન કુલદીપ યાદવે કર્યો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમ (14) ને LBW આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. જોકે, આ બધા વચ્ચે, કેન વિલિયમસન ક્રીઝ પર રહ્યા અને 77 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી..
- Advertisement -
- Advertisement -