મોરેશિયસના PM નવીન રામગુલામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેવી જાહેરાત કરી હતી…”આપણા દેશ માટે શુભકામનાઓ:
મોરેશિયસના PM નવીન રામગુલામે કહ્યું, “મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થાય છે કે,, મારા આમંત્રણને અનુસરીને, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનવા માટે સહમત થયા છે.” મોરેશિયસના વડાપ્રધાને કહ્યું, “આપણા દેશ માટે ખરેખર એક વિશેષ સન્માનની વાત છે કે તેઓ આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરી રહ્યા છે.. જેઓ તેમના વ્યસ્ત સમયપત્રક અને તાજેતરની પેરિસ અને યુએસએ મુલાકાત છતાં અમને આ સન્માન આપી રહ્યા છે. તેમણે અમારા ખાસ મહેમાન તરીકે અહીં આવવા સંમતિ આપી છે. તેમની મુલાકાત આપણા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે. મોરેશિયસ 12 માર્ચે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે.ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસના 56માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
મોરેશિયસ દિવસ 1968માં બ્રિટનથી પૂર્વ આફ્રિકન દેશની સ્વતંત્રતા અને 1992માં તેના પ્રજાસત્તાકમાં રૂપાંતરની યાદમાં ઉજવવામાં આવે છે.નવેમ્બરની શરૂઆતમાં PM મોદીએ રામગુલામને મોરેશિયસમાં ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા. ક્રિસમસ પર સોશિયલ મીડિયા પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, “મારા મિત્ર ડૉ.રામગુલામ સાથે ઉષ્માભરી વાતચીત કરીને તેમને ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં ખૂબ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતુ…આપણી ખાસ અને અનોખી ભાગીદારીને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.

