યુપીના જૌનપુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો..બુધવારે સવારે લગભગ 5 વાગ્યે જૌનપુર જિલ્લાના બાદલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સરોખાનપુર ગામ પાસે અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા હતા.જયારે 40 લોકો ઘાયલ થયા હતા..ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ઝારખંડ નંબરવાળી ટાટા સુમો ભક્તોને લઈને વારાણસીથી અયોધ્યા જઈ રહી હતી.ગુરુવારે વહેલી સવારે તે સરોખાનપુર પહોંચી કે તરત જ એક વાહન સાથે જોરદાર ટક્કર થઈ. સુમોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જયારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુમોમાં 8 લોકો સવાર હતા.. જેમાં એક બાળક, એક પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ ઘાયલ થયા હતા…બસ હાઇવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી.

