31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

શર્મિલા ટાગોરના ‘વંદે માતરમ’ વાળા નિવેદન પર ભડક્યા કંગના રનૌત, કહ્યું- કલા અને કવિતાને લઈને વિચારસરણી આટલી મર્યાદિત કેવી રીતે હોઈ શકે?


શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના રનૌતે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શર્મિલા ટાગોરના ઇન્ટરવ્યુનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું કે હું આ વાતની પ્રશંસા કરું છું કે શર્મિલાજીએ ‘વંદે માતરમ’ને લઈને પોતાની આપત્તિ વ્યક્ત કરી છે, પરંતુ એક કલાકાર તરીકે મને આશ્ચર્ય થાય છે કે કલા કે કવિતાને લઈને તેમની વિચારસરણી આટલી મર્યાદિત અને બનાવટી કેવી હોઈ શકે..

કંગનાએ આગળ કહ્યું કે કોઈપણ કવિતા કે ગીતમાં શબ્દો રૂપાક હોય છે. કવિ કે કલાકાર મનપસંદ અસર પેદા કરવા માટે તમામ પ્રકારની કલ્પનાઓ અને અદ્ભુત સમાનતાઓનો ઉપયોગ કરે છે. ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ આઝાદીની લડાઈની ભાવના છે. બંકિમ ચંદ્રજીએ દેશને પોતાની અંદરની શક્તિને જગાડવા માટે પ્રેરિત કર્યા હતા. તમે કલાની આટલી મહાન રચનાને માત્ર ધાર્મિક રીતિ-રિવાજ કેવી રીતે કહી શકો?

આ દરમિયાન કંગનાએ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને એવા યુવાનો જોઈએ છે, જેના શરીર લોખંડના અને હાડકાંનું માળખું સ્ટીલ જેવું હોય, અને જેની નસોમાં વીજળી જેવી તાકાત દોડતી હોય.

શર્મિલા ટાગોરે જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે ઘણા ધાર્મિક લોકો એક જ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે, ન કે અનેક દેવતાઓમાં. ‘વંદે માતરમ’માં એક પદ એવું છે જેમાં અનેક દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકો એક જ ઈશ્વરને માને છે તેમના માટે ‘વંદે કાલી, વંદે દુર્ગા’ કહેવું મુશ્કેલ છે. એટલા માટે, જો આપણે ભારતના તમામ ધર્મોના લોકોને સાથે લઈને ચાલવું હોય, તો શરૂઆતના બે પદ ખૂબ સારા છે.”

સરળ શબ્દોમાં કહીએ તો, તેમનું કહેવું હતું કે ગીતના શરૂઆતના બે પદ સારા છે, પરંતુ જે પદોમાં દેવી-દેવતાઓ (જેવા કે કાલી કે દુર્ગા) વંદના આવે છે, તે એક જ ઈશ્વરમાં માનનારા અન્ય ધર્મના લોકોને ગાવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -