31 C
Ahmedabad
Monday, March 30, 2026

“વંદે માતરમ”ગીતને 150 વર્ષ પૂર્ણ થયા: અમિત શાહે કહ્યુ,”આ ગીત આજે પણ દેશભક્તિની શાશ્વત જ્યોત પ્રજ્વલિત કરે છે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું કે “વંદે માતરમ” આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની શાશ્વત જ્યોત પ્રજ્વલિત કરે છે.આ ગીત યુવાનોમાં એકતા,દેશભક્તિ અને નવી ઉર્જાનું પ્રતીક રહ્યું છે.અમિત શાહે “વંદે માતરમ” ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ નિવેદન આપ્યું હતું. આગામી એક વર્ષ માટે એક ખાસ સ્મૃતિ વર્ષ મનાવવામાં આવશે.જે તેની રચનાના દિવસે 7 નવેમ્બર, 1875થી શરૂ થઈને 7 નવેમ્બર 2026 સુધી ચાલશે.

“વંદે માતરમ”એ ભારતના આત્માનો અવાજ છે: અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું હતું,”વંદે માતરમ”ફક્ત શબ્દોનો સમૂહ નથી. તે ભારતના આત્માનો અવાજ છે.આ ગીતે બ્રિટિશ શાસન સામે રાષ્ટ્રને એક કર્યું અને સ્વતંત્રતાની ભાવનાને મજબૂત બનાવી.”આ ગીત દેશના બહાદુર ક્રાંતિકારીઓમાં માતૃભૂમિ માટે ગર્વ, સમર્પણ અને બલિદાનની ભાવના જાગૃત કરે છે.” અમિત શાહે કહ્યું કે, આ ગીત આજે પણ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ તેમના પરિવારો સાથે ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સંસ્કરણ ગાવે જેથી આ ભાવના આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -