અમદાવાદના ધોલેરા તાલુકાને જાણે કોઈ પાપીની નજર લાગી હોય તેમ વારેવારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.. હજુ તો ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાને લોકો ભૂલ્યા નથી ત્યાં તો આજે ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો… આ ઘટના ધોલેરાના પીપળી ચોકડી પાસે બની હતી જેમાં બે ટ્રક સામસામે ટક્કરતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. બે ટ્રક સામ સામે અથડતા બંને ટ્રકના ડ્રાઈવર તેમજ અન્ય એક વ્યક્તિનું મોત થયું છે..આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ ધોલેરાના પોલાના ચોકડી પાસે ગઈકાલે મધ્યપ્રદેશના જાંબુઓ ગામના મંજૂરોને અકસ્માત નડતા પાંચ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. રાજ્યમાં જે રીતે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેનો જોતા લાગે છે કે, સરકારે આ બાબતે પણ કોઈ ગંભીર કાયદો લાવવાની જૂરૂર છે.

