26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

સાબરકાંઠા: પ્રાંતિજનાં કરોલમાં કોબીજના ભાવ ના મળતાં ખેતરમાં ગાય માતાને તેડું


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કરોલના ખેડૂતને આ વર્ષે કોબીજની ખેતી કરતા ખેડૂતને પોષક ભાવ ના મળતા કોબીજના ઉભા પાકમા ગાયો બેસાડવામા આવી હતી. તો કેટલાય ખેડૂતોએ તૈયાર થયેલા પાકમા કટર ફેરવી હતી.

પ્રાંતિજ સહિત તાલુકામા શાકભાજીની પુસ્કર પ્રમાણમાં ખેતી થાય છે. જેમા મુખ્યત્વે ફલાવર અને કોબીજની ખેતી મોટા ભાગે થાય છે. કોબીજ-ફલાવરની ખેતીમા પ્રાંતિજ સહિત તાલુકો અવ્વલ વન છે. ત્યારે ચાલુ સાલે કોબીજ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો દ્રારા ઉભા પાકમા ગાયોને બેસાડવામા આવી હતી. તો કેટલાક ખેડૂતોએ તો ઉભા પાકમા કટર ફેરવાઈ દીધી હતી.

હાલ તો મોંધાદાટ બિયારણ ,ખેડ, ખાતર, દવા , પાણી , મજૂરી સહિતનો ખર્ચ ના મળતા ખેડૂતોમા નિરાશા જોવા મળી છે. બજારમા હાલ કોબીજનો હોલસેલ ભાવ – ૪૦ રૂપિયા ૨૦ કિલોના મળે છે. તો તેની સામે ખેડૂતોને પોષક ભાવો ના મળતા ખેડૂતો ઉભા તૈયાર થયેલા પાકમા ગાયોને ચરાવવા સહિત કટર ફેરવવા મજબૂર બન્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -