29.2 C
Ahmedabad
Saturday, July 4, 2026

“સુપ્રીમ કોર્ટ ભાજપના ઈશારે કામ કરી રહી છે”: સાંસદ સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર


શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે શુક્રવારે મુંબઈમાં આયોજિત પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) માં રામ મંદિર ચઢાવા (દાન) કૌભાંડ અને મુંબઈમાં ભારે વરસાદને કારણે થયેલા મોતો અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, મુંબઈ અંડરવર્લ્ડની જેમ અયોધ્યા પણ હવે ‘ભાજપ શાસિત અંડરવર્લ્ડ’ બની ગયું છે અને રામ મંદિરમાં મોટી લૂંટ થઈ છે. સંજય રાઉતે ઉમેર્યું કે, અયોધ્યામાં જે ઘટનાઓ સામે આવી રહી છે તે આખા દેશ માટે શરમજનક છે. રામ મંદિરના દાનમાંથી કરોડો રૂપિયાની કથિત ચોરી થઈ છે અને આ મામલામાં ભાજપ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવી રહ્યા છે. અયોધ્યામાં ભય અને દબાણનો એવો માહોલ ઊભો કરી દેવાયો છે કે ત્યાંની પરિસ્થિતિથી વાકેફ લોકો પણ ખુલ્લેઆમ બોલતા ડરી રહ્યા છે. તેઓ પોતે અયોધ્યા જશે અને જણાવશે કે ત્યાં અસલી અંડરવર્લ્ડ કોણ ચલાવી રહ્યું છે.”

રામ મંદિર દાન ચોરી મામલાની તપાસ અંગે સંજય રાઉતે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, આની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ, પરંતુ શું સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ છે? શું સુપ્રીમ કોર્ટ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે? દેશની ન્યાય વ્યવસ્થામાં હવે બહુ ઓછા લોકો બચ્યા છે જેઓ ઈચ્છે છે કે બધું સાફ-સુથરું અને પારદર્શક હોય.

મુંબઈમાં વરસાદથી મોત અંગે વહીવટીતંત્ર પર નિશાન

મુંબઈમાં સતત થઈ રહેલા વરસાદ વચ્ચે બે લોકોના મોત માટે પણ સંજય રાઉતે ભાજપ સરકાર અને મ્યુનિસિપલ વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, એક 11 વર્ષના સ્કૂલી વિદ્યાર્થી અને એક વડીલનું મોત એ માત્ર અકસ્માત નથી, પરંતુ વહીવટી બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ છે.

ભાજપ નેતાના વર્તન પર ઉઠાવ્યા સવાલ

સંજય રાઉતે ભાજપ મુંબઈના નેતા અમિત સાટમ પર આરોપ લગાવ્યો કે આવી દુઃખદ ઘટનાઓ વચ્ચે પણ તેઓ હસી રહ્યા હતા, જે અત્યંત અમાનવીય અને અસંવેદનશીલ વર્તન છે. તેમણે માંગ કરી કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વહેલી તકે અમિત સાટમને તેમના પદ પરથી હટાવે કારણ કે તેમનું વર્તન યોગ્ય નથી, અને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરે. તેમણે આક્ષેપ કર્યો કે, ગટરોની સમયસર સફાઈ ન થવાને કારણે અને વૃક્ષોને લગતી ફરિયાદો પર કાર્યવાહી ન થવાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

ભાજપ બાંગ્લાદેશી ઘૂસણખોરી છોડી મુંબઈની સુવિધાઓ પર ધ્યાન આપે”

ભાજપના ‘104 ટકા નાળાઓની સફાઈ’ના દાવા પર સવાલ ઉઠાવતા રાઉતે કહ્યું કે, જો આટલી સફાઈ થઈ હોય તો પણ મુંબઈ કેમ પાણીમાં ડૂબેલું છે? લોકો તણાઈ રહ્યા છે. વાહનો પાણીમાં ફસાયા છે અને કેટલાય વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. મ્યુનિસિપલ કમિશનરને હટાવવાને બદલે નગર વિકાસ મંત્રીની જવાબદારી નક્કી થવી જોઈએ. ભાજપના નેતાઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર રાજકારણ કરવાના બદલે મુંબઈની પાયાની નાગરિક સુવિધાઓ, ડ્રેનેજ સિસ્ટમ (પાણીના નિકાલની વ્યવસ્થા), આરોગ્ય સેવાઓ અને રસ્તાઓ પર ધ્યાન આપવું જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -