સબરીમાલા ભેદભાવ કેસની સુનાવણી માટે નવ જજોની બેન્ચની રચના કરવામાં આવી..7 એપ્રિલથી શરૂ થશે સુનાવણી….
સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચ 7 એપ્રિલથી ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથેના ભેદભાવના કેસોની સુનાવણી શરૂ કરશે.આ કેસ મુખ્યત્વે કેરળના સબરીમાલા મંદિર સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, તમામ પક્ષો 14 માર્ચ સુધીમાં તેમની લેખિત દલીલો રજૂ કરે.કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે,તેઓ સબરીમાલા ચુકાદાની સમીક્ષાને સમર્થન આપે છે..બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ.પંચોલીનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલો પરમેશ્વર અને શિવમ સિંહને કોર્ટને જરૂરી માર્ગદર્શન અને પક્ષકારોની દલીલોનું વિશ્લેષણ પૂરું પાડવા માટે એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે.કોર્ટે 22 એપ્રિલ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવાનો પણ નિર્દેશ આપ્યો..સબરીમાલા ચુકાદાની સમીક્ષાને ટેકો આપનારા પક્ષકારો માટે કૃષ્ણ કુમાર સિંહને નોડલ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે…જ્યારે ચુકાદાનો વિરોધ કરનારા પક્ષકારો માટે શાશ્વતી પરીને નોડલ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મુદ્દો ફરી ઉભરી આવ્યો છે કારણ કે,,સુપ્રીમ કોર્ટ સોમવારે 2018 ના ચુકાદા સંબંધિત સમીક્ષા અને રિટ અરજીઓ પર વિચાર કરવાનું છે… જેમાં તમામ ઉંમરની મહિલાઓને ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ પાર્ટી કહે છે કે,, સરકારે કોર્ટનો સંપર્ક કરતા પહેલા જાહેર જનતાને સ્પષ્ટપણે પોતાનો વલણ જણાવવો જોઈએ…તેમનો આરોપ છે કે,, સરકાર આ સંવેદનશીલ મુદ્દા પર મૂંઝવણમાં છે.
11 મે 2020 ના રોજ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે,, પાંચ ન્યાયાધીશોની બેન્ચ, તેની મર્યાદિત સમીક્ષા શક્તિઓ હેઠળ, કાયદાના પ્રશ્નોને મોટી બેન્ચને મોકલી શકે છે. 2018 ના સબરીમાલા ચુકાદાએ તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી..સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણના અનુચ્છેદ 25 અને 26 ના કાર્યક્ષેત્ર પર સાત મુખ્ય પ્રશ્નો પણ ઘડ્યા.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે શું કોઈ ધાર્મિક જૂથ અથવા સંપ્રદાયની પ્રથાઓને જાહેર હિતની અરજી (PIL) દ્વારા અન્ય વ્યક્તિ દ્વારા પડકારી શકાય છે…સબરીમાલા કેસ ઉપરાંત બેન્ચે મસ્જિદો અને દરગાહોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અને અગિયારી (પવિત્ર અગ્નિ સ્થળ) માં પારસી મહિલાઓના પ્રવેશ સંબંધિત મુદ્દાઓને પણ મોટી બેન્ચને સોંપ્યા.
વિપક્ષના નેતા વી.ડી.સતીસને મુખ્યમંત્રી વિજયનને પૂછ્યું કે, શું સરકાર હજુ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના અગાઉના સોગંદનામા પર અડગ છે. તેમણે કહ્યું કે જો સરકાર મહિલાઓના પ્રવેશના પક્ષમાં છે. તો તેણે કોર્ટમાં આ વાત મજબૂત રીતે જણાવવી જોઈએ. જો નહીં, તો સોગંદનામું પાછું ખેંચવું જોઈએ. કોંગ્રેસના નેતા કે.સી.વેણુગોપાલે એમ પણ કહ્યું કે,, કેરળમાં સરકાર તરફથી સ્પષ્ટ વલણ અપનાવવાની માંગ છે. .અને પાછળ હટવું એ જનતા સાથે વિશ્વાસઘાત હશે.
શાસક સીપીઆઈ(એમ) પાર્ટીએ વિપક્ષના આરોપોને ફગાવી દીધા.પાર્ટીના રાજ્ય સચિવ એમ.વી.ગોવિંદને કહ્યું કે, સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. હવે જાહેર કરવાની કોઈ જરૂર નથી..તેમણે ઉમેર્યું કે, ભક્તોની લાગણીઓ અને લોકશાહી મૂલ્યો બંનેનું સન્માન કરવામાં આવશે.પાર્ટીના વરિષ્ઠ નેતા એ.વિજયરાઘવને એમ પણ કહ્યું કે, આ મામલો અત્યંત જટિલ છે અને તમામ પક્ષોને સાંભળ્યા પછી જ કોઈ નક્કર નિર્ણય લેવો જોઈએ.
- Advertisement -
- Advertisement -