વાવ-થરાદ : રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની કરી ઉજવણી..
રાજ્યમાં 77મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.જયારે બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.જ્યારે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો.
વાવ-થરાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવ્યું હતું.ધ્વજવંદન દરમિયાન હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.ગુજરાત પોલીસના 1,600 જેટલા જવાનોએ 22 પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી.
- Advertisement -
- Advertisement -