નાગાલેન્ડની સ્થાપનાના 63 વર્ષ,રાષ્ટ્રપતિ, પીએમ મોદી, રાહુલ ગાંધી અને રાષ્ટ્ર તરફથી અભિનંદન
આજના દિવસે 63 વર્ષ પહેલાં નાગાલેન્ડ ભારતના 16મા રાજ્ય તરીકે સ્થાપિત થયું હતું. નાગાલેન્ડના 63મા સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાહુલ ગાંધી સહિત દેશભરના ઘણા અગ્રણી નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા.તેમણે કહ્યું કે, નાગાલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિ હિંમત અને સેવાની ભાવના સમગ્ર દેશમાં પ્રશંસનીય છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસની કામના કરી હતી.
બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નાગાલેન્ડના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે કહ્યું કે નાગાલેન્ડ તેની કુદરતી સુંદરતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને આદિવાસી વિવિધતા માટે ગર્વનો સ્ત્રોત છે. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે નાગાલેન્ડના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા.તેમણે કહ્યું કે પૂર્વોત્તર રાજ્યની સમૃદ્ધ પરંપરાઓ અને તેના લોકોની મજબૂત ભાવના દેશની સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવે છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, અમિત શાહે લખ્યું, “રાજ્ય સ્થાપના દિવસ પર નાગાલેન્ડના ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. રાજ્યની જીવંત પરંપરાઓ અને તેના લોકોની દ્રઢતા આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવે છે.અમિત શાહ, હું ઈચ્છું છું કે નાગાલેન્ડ શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધે.”
- Advertisement -
- Advertisement -