બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને ફાંસીની સજા
ટ્રિબ્યુનલે પદભ્રષ્ટ પીએમ શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવીને તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે..
આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે સોમવારે બાંગ્લાદેશના પદભ્રષ્ટ પીએમ શેખ હસીના સામેના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. ટ્રિબ્યુનલે શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવીને કહ્યું કે તેઓ મહત્તમ સજાને પાત્ર છે. ટ્રિબ્યુનલે તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે..
ટ્રિબ્યુનલે કહ્યું કે શેખ હસીના સાથે આ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે.ટ્રિબ્યુનલના મતે આ ત્રણેયે મળીને માનવતા વિરુદ્ધના અપરાધ કર્યા છે. રાજકીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સીધા આદેશોને કારણે પ્રદર્શનકારીઓ અને અન્ય નાગરિકોના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું.
ટ્રિબ્યુનલના જણાવ્યા અનુસાર આશરે 1400 લોકોની હત્યા કરવામાં આવી હતી. અને 11 હજારથી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.. કે ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શેખ હસીના હાલમાં ભારતમાં છે.ટ્રિબ્યુનલની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.તેમને આવા નિર્ણયોની કોઈ પરવા નથી. ICTના ચુકાદા પહેલા તેમના સમર્થકોને જાહેર કરાયેલા એક ઓડિયો સંદેશમાં, હસીનાએ કહ્યું કે મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર તેમના પક્ષનો નાશ કરવા માંગતી હતી.હસીનાએ કહ્યું કે તે એટલું સરળ નહોતું.અવામી લીગ એક એવો પક્ષ હતો જે શરૂઆતથી જ ઉભરી આવ્યો હતો.
આ કેસમાં ફરિયાદ પક્ષે હસીના માટે મૃત્યુદંડની માંગ કરી છે.જેમાં માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો સામેલ છે. જો કોર્ટનો ચુકાદો શેખ હસીના વિરુદ્ધ આવે છે.તો બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થવાની સંભાવના છે.મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે દેશભરમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે.ઢાકા પોલીસ કમિશનર શેખ મોહમ્મદ સજ્જાત અલીએ પોલીસ અધિકારીઓને બસોમાં આગ લગાડવાનો કે ક્રૂડ બોમ્બ ફેંકવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ પર ગોળીબાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.પેટ્રોલિંગ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં આગ લગાડવાની લગભગ 40 ઘટનાઓ (મોટાભાગે બસોને નિશાન બનાવતી) અને ડઝનબંધ બોમ્બ વિસ્ફોટ થયા. જેના પરિણામે બે લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશમાં શાંતિ જાળવવા માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB), રેપિડ એક્શન બ્રિગેડ (RAB) અને સૈન્ય કર્મચારીઓને મુખ્ય ચોકપોઇન્ટ્સ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ પગલાને કાયદેસર રીતે યોગ્ય ઠેરવવા માટે પોલીસે દંડ સંહિતાની કલમ 96 હેઠળ વ્યક્તિગત બચાવનો ઉલ્લેખ કર્યો છે. જો કે, માનવાધિકાર જૂથોએ આ આદેશ પર ચિંતા વ્યક્ત કરી છે.જેમાં વ્યાપક દુરુપયોગના અગાઉના કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે.
- Advertisement -
- Advertisement -