27.2 C
Ahmedabad
Sunday, March 29, 2026

રાહુલ ગાંધીએ અમૃતસર અને ગુરદાસપુરમાં પૂર પીડિતોને મળ્યા, બાબા બુઢા સાહિબને ગુરુદ્વારામાં શ્રદ્ધાંજલિ આપી


લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે પંજાબના પ્રવાસે છે. તેઓ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી અમૃતસરના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા. ત્યાંથી તેઓ રામદાસના અજનાલા ગામ ગયા અને લોકોને મળ્યા. રાહુલ ગાંધીએ રામદાસમાં ગુરુદ્વારા શ્રી સમાધ બાબા બુઢા જી સાહિબમાં પણ શ્રદ્ધાંજલિ આપી.

આ પછી તેઓ ગુરદાસપુર ગયા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન તેઓ ટ્રેક્ટર પર સવારી કરી. હવાઈ સર્વેક્ષણને બદલે, રાહુલ ગાંધી સીધા ગામડે ગામડે જઈને લોકોને મળી રહ્યા છે.

લુધિયાણાના ભૂતપૂર્વ સાંસદ અને રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીના પંજાબ પ્રવાસ પર કટાક્ષ કર્યો છે. બિટ્ટુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રાહુલ ગાંધી પંજાબ આવી રહ્યા છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ યોજાઈ રહી હતી.ત્યારે તેઓ પોતાની રજાઓનો આનંદ માણવામાં વ્યસ્ત હતા.જ્યારે પંજાબ ડૂબી રહ્યું હતું અને લોકો રડી રહ્યા હતા.ત્યારે તેઓ મલેશિયામાં મજા માણી રહ્યા હતા.આ પ્રવાસો લોકોના દુઃખ દૂર કરવા માટે નહીં.પરંતુ રાજકીય મંચ પર નાટક કરવા માટે કરવામાં આવી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -