31.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા..પરિવારને મૃતદેહ સોંપાશે..આવતીકાલે કરાશે અંતિમવિધિ


અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દૂર્ઘટનામાં મૃત્યું પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ડેડબોડીના ડીએનએ મેચ થયાની માહિતી રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી…વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ ખાતે લઇ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી..પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે…

હર્ષ સંઘવીએ કહ્યું કે સવારે 11 અને 10 મિનિટે ડીએનએ નમૂના મેચ થયા હતા…હવે તેમના પાર્થિવ દેહને સાંજ સુધીમાં રાજકોટ ખાતે લઇ જવામાં આવશે…રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શન માટેની તૈયારીઓ કરવામાં આવી છે..રાજકોટ પોલીસે પણ વિજય રૂપાણીની  અંતિમયાત્રા એક કલાક પહેલા રસ્તાઓ બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડયું છે..રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતે સોમાવારે બપોર સુધીમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -