26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA આજે વિઝિંજામ બંદરથી રવાના થશે..


વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પહોંચતાની સાથે જ બર્થિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અદાણી ગ્રુપ આ બંદરનું સંચાલન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને 2 મેના રોજ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને રવિવારે જણાવ્યું કે, MSC ઇરિના સોમવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરથી તેની પ્રથમ સફર શરૂ કરશે. APSEZ એ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ એશિયાઈ બંદરની આ જહાજની પ્રથમ મુલાકાત હશે.

APSEZ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “TEU (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ) ક્ષમતા દ્વારા વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ તરીકે ઓળખાતા MSC IRINA સોમવારે સવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પર ડોક કરવા માટે તૈયાર છે…મંગળવાર સુધીમાં બર્થિંગ કરવામાં આવશે.” આ વિશાળ જહાજની લંબાઈ 399.9 મીટર છે.. જ્યારે પહોળાઈ 61.3 મીટર છે. આ જહાજ ફૂટબોલ મેદાન કરતા લગભગ 4 ગણું લાંબુ છે… જે FIFA દ્વારા નક્કી કરાયેલો માનક છે. MSC IRINA 2 વર્ષ પહેલા માર્ચ 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.. તેજ વર્ષે એપ્રિલમાં તેની પ્રથમ સફર શરૂ થઈ હતી.

વડાપ્રધાન મોદીએ ગત મહિને 2 મેએ લગભગ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે ‘વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સી પોર્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.આ દેશનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. ભારતના દરિયાઈ ક્ષેત્રની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. આ બંદરને કારણે વૈશ્વિક દરિયાઈ નકશા પર કેરળનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.આ બંદર તિરુવનંતપુરમ જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગમાં ભારતની ભૂમિકામાં નોંધપાત્ર ફેરફાર થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -