મુંબઈથી લખનૌ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાંથી પડવાથી 5 મુસાફરોનાં મોત..

મુંબઈથી લખનૌ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જવાથી 5 મુસાફરોના મોત થયા.. મધ્ય રેલવેનું કહેવું છે કે આ અકસ્માત દિવા-કોપર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો.
મધ્ય રેલવેનું કહેવું છે કે,, થાણેમાં મુંબઈ રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો સીએસએમટી તરફ મુસાફરી કરી રહ્યા હતા.. ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા હતા.. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.આમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે.આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા.આ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા..તેમના કપડાં પણ ફાટી ગયા હતા.
કસારા જતી મુંબઈ ટ્રેનના ગાર્ડે જણાવ્યું કે,,મુંબઈ સ્ટેશન નજીક પાંચ મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા..મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.તમામ મૃતકો 30 થી 35 વર્ષની ઉંમરના છે.
- Advertisement -
- Advertisement -