36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગુજરાતના સાત એરપોર્ટ પર NOTAM જારી… કોઈ ફ્લાઇટ ઉડશે નહીં…


ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને લઇ  ભારત સરકારે ગુજરાતના 7 એરપોર્ટને નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી નથી. પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે.જેને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.. પરંતુ સાવચેતીના પગલા તરીકે ગુજરાતના 7 એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી છે..

ભારત સરકાર દ્વારા કુલ 24 એરપોર્ટ પર એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટિસ આપવાથી ફ્લાઇટ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.

કેમ બંધ છે એરપોર્ટ?

હવાઈ ​​હુમલા સમયે દુશ્મનના રોકેટ આપણી તરફ આવે છે.. અને આપણી સંરક્ષણ પ્રણાલીના રોકેટ તે રોકેટોને તોડી પાડવા જાય છે. આ સ્થિતિમાં, જ્યારે પેસેન્જર પ્લેન હવામાં હોય છે… ત્યારે કોઈપણ રોકેટ તેના પર અથડાવી શકે છે.. અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.

હવાઈ હુમલાની સ્થિતિમાં, આસપાસના રૂટ પરના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જોકે, એરપોર્ટ્સને એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. ત્યાં કોઈ હુમલો થયો નથી.. પરંતુ સાવચેતી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -