Operation Sindoor : સર્વપક્ષીય બેઠક સમાપ્ત; ખડગેએ કહ્યું- સંકટની ઘડીમાં અમે સરકાર સાથે..

ઓપરેશન સિંદૂર સમાપ્ત થયા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ સંકટની ઘડીમાં સરકારની સાથે છીએ. ખડગેએ કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેના વિશે અમને ગુપ્તતાનો હવાલો આપીને માહિતી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.. આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ હાજર હતા. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ.જયશંકર પણ હાજર હતા. આ ઉપરાંત કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા હતા..સરકાર વિપક્ષી નેતાઓને ઓપરેશન સિંદૂર પછીની બદલો લેવાની કાર્યવાહી અને ભવિષ્યની તૈયારીઓ વિશે માહિતી આપી.
કોંગ્રેસે આતંકવાદ સામે સરકારને સંપૂર્ણ સમર્થન અને સેના સાથે એકતા દર્શાવતા ‘બંધારણ બચાવો રેલીઓ’ સહિત પાર્ટીના તમામ સુનિશ્ચિત કાર્યક્રમો બંધ કરી દીધા છે. આ તણાવપૂર્ણ વાતાવરણમાં પીએમ મોદીએ ત્રણ દેશોની તેમની મુલાકાત રદ કરી છે..વડાપ્રધાન મોદી 13 થી 17 મે દરમિયાન નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની મુલાકાતે જવાના હતા.
ઓપરેશન સિંદર બાદ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ અંગે સ્થાનિક દળો સાથે સતત સંપર્કમાં છે…પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી લોન્ચ પેડ્સ પર સચોટ હુમલાઓ બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા કોઈપણ સંભવિત દુ:સાહસ માટે સેના અને સુરક્ષા દળો ઉચ્ચ સતર્કતા પર છે.
- Advertisement -
- Advertisement -