શિરડી સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા વધારી દેવામાં આવી

દેશના સૌથી મોટા મંદિરોમાંના એક એવા શિરડી સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બોમ્બની ધમકીઓ સતત જોવા મળી રહી છે. શિરડી સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી કોઈ અજાણ્યા ગુનેગારે ઈ-મેલ દ્વારા આપી હતી. સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હંગામો મચી ગયો હતો. તાત્કાલિક પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતુ.. અને સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી હતી.. જોકે, ઘટનાસ્થળેથી કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો.
દેશભરમાંથી લાખો ભક્તો આ મંદિરમાં પહોંચે છે. મેઇલ મોકલનાર આરોપીએ કહ્યું હતું કે તે મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનું હતુ…કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી..શ્રી શિરડી સાંઈ બાબા સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે, “સંસ્થા પાસે પોતાનો સુરક્ષા સ્ટાફ છે.. ઈમેલ મળ્યા બાદ અમારા સ્ટાફે અનેક પોલીસ ટીમો સાથે મળીને શોધખોળ હાથ ધરી હતી.. પરંતુ કંઈ શંકાસ્પદ મળી ન હતી…” મંદિર નજીક કંઈ ન મળતાં સુરક્ષા દળોએ રાહતનો શ્વાસ લીધો હતો..
- Advertisement -
- Advertisement -