30 C
Ahmedabad
Tuesday, April 21, 2026

ઘરેથી રોકડ મળી આવતા દિલ્હી હાઈકોર્ટના જજ સામે કાર્યવાહી.. કોલેજિયમે તેમને અલ્હાબાદ ટ્રાન્સફર કર્યા


દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માનું નામ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની મૂળ પોસ્ટિંગ અલ્હાબાદ હાઈકોર્ટમાં પરત ફરવાની ભલામણ કરી છે. આ નિર્ણય પાછળનું કારણ તેમના સત્તાવાર બંગલામાં લાગેલી આગ બાદ સામે આવેલી ચોંકાવનારી માહિતી છે. આગ ઓલવતી વખતે ત્યાંથી મોટી માત્રામાં રોકડ મળી આવતાં ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ શહેરમાં હાજર નહોતા. તેના પરિવારજનોએ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કર્યો હતો. જ્યારે આગ કાબૂમાં આવી ત્યારે ફાયર ફાયટરોને બંગલાની અંદરથી મોટી રકમ રોકડ મળી આવી હતી. આ બિનહિસાબી રોકડની વસૂલાતનો સત્તાવાર રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો.. આ બાબતની જાણ તરત જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને કરવામાં આવી હતી.

કોલેજિયમની ઈમરજન્સી મીટિંગ અને ટ્રાન્સફરનો નિર્ણય

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠક બોલાવી હતી.જેમાં સીજેઆઈ સંજીવ ખન્ના સાથે બે વરિષ્ઠ ન્યાયાધીશોએ ભાગ લીધો હતો.. અને સર્વસંમતિથી જસ્ટિસ વર્માને તેમના વતન હાઈકોર્ટ, અલ્હાબાદમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.

મહાભિયોગની પણ ચર્ચા

જોકે, કોલેજિયમના કેટલાક સભ્યોએ માત્ર ટ્રાન્સફર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ પગલું ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડી શકે છે..લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે. કેટલાક સભ્યોએ સૂચન કર્યું કે જસ્ટિસ વર્માનું રાજીનામું માંગવામાં આવે. જો તે ઇનકાર કરે છે.. તો સંસદમાં તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ થવી જોઈએ.

જજો સામે તપાસ કેવી રીતે થાય છે?

બંધારણ મુજબ કોઈપણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે ભ્રષ્ટાચાર, અનિયમિતતા અથવા ગેરવર્તણૂકના આરોપોની તપાસ કરવા માટે 1999 માં સુપ્રીમ કોર્ટ દ્વારા આંતરિક પ્રક્રિયાની રચના કરવામાં આવી હતી. જે નીચે મુજબ છે…

CJI પહેલા સંબંધિત ન્યાયાધીશ પાસેથી સ્પષ્ટતા માંગે છે.

જો જવાબ સંતોષકારક ન હોય, તો CJI સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના બે મુખ્ય ન્યાયાધીશોની બનેલી સમિતિ બનાવે છે.

તપાસના પરિણામોના આધારે સંબંધિત ન્યાયાધીશનું રાજીનામું માંગવામાં આવે છે.. અથવા મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે ન્યાયાધીશ સામે મહાભિયોગની પ્રક્રિયા?

પ્રસ્તાવ રજૂ કરવો: સંસદના કોઈપણ ગૃહ (લોકસભા અથવા રાજ્યસભા)માં ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. લોકસભામાં 100 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં 50 સાંસદોનું સમર્થન જરૂરી છે.

તપાસ સમિતિની રચના

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રતિષ્ઠિત ન્યાયાધીશની બનેલી સમિતિ તપાસ કરે છે. જો સમિતિ ન્યાયાધીશને દોષિત માને છે, તો કેસ ચર્ચા માટે સંસદમાં જાય છે.

બે તૃતીયાંશ બહુમતીથી પસાર

 મહાભિયોગ પ્રસ્તાવ સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવો જરૂરી છે. પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી જજને હટાવવામાં આવે છે.

અત્યાર સુધીમાં કેટલા ન્યાયાધીશો પર મહાભિયોગ કરવામાં આવ્યો છે?

અત્યાર સુધી ભારતમાં કોઈ જજને મહાભિયોગ પ્રક્રિયા હેઠળ સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા નથી. જોકે, મહાભિયોગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ કેટલાક ન્યાયાધીશોએ રાજીનામું આપી દીધું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -