છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ ભારતીય સેનાના વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં સેનાના 9 જવાન શહીદ થયા છે. જ્યારે અનેક જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે.
આઈજી બસ્તરના જણાવ્યા અનુસાર બીજાપુરમાં નક્સલી હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાનો શહીદ થયા છે. હુમલામાં ડ્રાઈવરનું પણ મોત થયું છે. આ તમામ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશન કરીને પરત ફરી રહ્યા હતા.

