અમેરિકાએ પ્રખ્યાત આર્કિટેક્ટ અરુણ યોગીરાજને પોતાના દેશના વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. અરુણ યોગીરાજે રામ જન્મભૂમિ મંદિરમાં સ્થાપિત રામની વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિ બનાવી હતી.અમેરિકા ભલે ગમે તેટલા ઉદારમતવાદી હોવાનો ઢોંગ કરે પણ તેનો અસલી ચહેરો સમયાંતરે સામે આવે છે.
અમેરિકા દુનિયાને એક વસ્તુ બતાવે છે.. પરંતુ પડદા પાછળ તે જુદી જ રમત રમી રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરના કિસ્સામાં, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા કન્નડ કલાકાર સામે તેમની બેવડી નીતિ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
અરુણ યોગીરાજ વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમેરિકા જઈ રહ્યા હતા. અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, તેમણે આમંત્રણ મળ્યા બાદ જ વિઝા માટે અરજી કરી હતી. તમણે અમેરિકન એમ્બેસીનો સંપર્ક કર્યો અને તેના દસ્તાવેજો આપ્યા. હવે અચાનક તેમને જાણ કરવામાં આવી છે કે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. અરુણ યોગીરાજનું કહેવું છે કે,,તમામ જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા હતા..પરંતુ અમેરિકા દ્વારા વિઝા કેમ આપવામાં આવ્યા નથી.

