ભારતના મોટાભાગના ઘરોમાં સ્વચ્છ પાણી માટે RO એટલે કે વોટર પ્યુરીફાયર લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણને કહેવામાં આવે છે કે આરઓનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. આ જ કારણ છે કે આપણે આપણા ઘરોમાં મોંઘા વોટર પ્યુરીફાયર લગાવીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નિષ્ણાતોએ કહ્યું છે કે આરઓનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ખરેખર તાજેતરમાં આરઓ સિસ્ટમ પર એક વેબિનાર હતો. જેમાં નિષ્ણાતોએ જણાવ્યું કે જ્યારે આપણે RO એટલે કે વોટર પ્યુરીફાયરથી પાણીને સાફ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા દરમિયાન પાણીમાં રહેલી ગંદકી જ નહીં પરંતુ પાણીમાં ભળેલા મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ROનું પાણી શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, લાંબા સમય સુધી આરઓનું પાણીનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
વેબિનારમાં નિષ્ણાતોએ શું કહ્યું
આ વેબિનાર દરમિયાન, નિષ્ણાતોએ કહ્યું કે જો તમે તમારા ઘરમાં આરઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખો કે શુદ્ધ કરેલા પાણીમાં ઓછામાં ઓછા 200 થી 250 મિલિગ્રામ પ્રતિ લિટરના દરે ઘન પદાર્થો ઓગળેલા હોવા જોઈએ. જો તમે ઘન પદાર્થો ધરાવતું પાણી પીઓ છો, તો તમારા શરીરને કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજો પૂરા પાડવામાં આવશે.
WHOએ પણ ચેતવણી આપી છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આરઓ ફિલ્ટર્સના ઉપયોગ અંગે ચેતવણી પણ આપી હતી. વર્ષ 2019માં જ WHOએ કહ્યું હતું કે, ‘RO ફિલ્ટર પાણીને સાફ કરે છે પરંતુ તેના કેલ્શિયમ અને મેગ્નેશિયમને નષ્ટ કરે છે, આ ખનિજો શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. WHO મુજબ પીવાના પાણીનો TDS 300 mgથી ઓછો હોવો જોઈએ. જો TDS લેવલ 900થી ઉપર હોય તો ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

