31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

CM કેજરીવાલને મોટો ફટકો, કોર્ટે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી વધારી..21 માર્ચે કરાઈ હતી ધરપકડ


દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોમવારે મોટો આંચકો લાગ્યો છે. EDની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની ED કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હકીકતમાં, EDએ 21 માર્ચની રાત્રે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. બીજા દિવસે એટલે કે 22 માર્ચે કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા. ત્યારબાદ 28 માર્ચે તેને 1 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

શું છે EDનો આરોપ?

EDએ દાવો કર્યો હતો કે દિલ્હી લિકર પોલિસીની તૈયારી અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર થયો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ એક્સાઈઝ પોલિસી કેસમાં જ જેલમાં છે.

EDનું કહેવું છે કે દિલ્હી લિકર પોલિસીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી અને અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો છે. જ્યારે AAPએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે. ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -