સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હર્ષનાબેન ચૌધરીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.. હર્ષનાબેન ચૌધરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.. ઘટના સ્થળેથી એક સુસાઈટ નોટ પણ મળી આવી છે.. જેમાં લખ્યું છે કે, મેં મોટી ભૂલ કરી છે… જેના પર વિશ્વાસ મુક્યો એ વ્યક્તિ મારી સાથે સારૂં નહી કર્યું… મામી બહેન મને માફ કરજો. તેવો સુસાઈટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. સાથે પોલીસને જે સુસાઈટ નોટ મળી આવી છે..જેમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે દિશમાં તપાસ હાથ ધરવામાં આવી છે.. પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે.

