Paytm પેમેન્ટ્સ બેંક દરરોજ નવા આંચકાનો સામનો કરી રહી છે. RBIના પ્રતિબંધનો સામનો કરી રહેલી બેંકને હવે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. વેપારીઓના સંગઠન CAITએ બિઝનેસમેનોને બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે Paytmને બદલે અન્ય પેમેન્ટ વિકલ્પોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આરબીઆઈએ પેટીએમ વોલેટ અને બેંકના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી Paytm મુશ્કેલીમાં છે.
નાના ધંધામાં મોટી મુશ્કેલી આવી શકે છે
CAIT એ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ બેંક પર નિયંત્રણો લાદ્યા છે. આનાથી બચવા માટે નાના વેપારીઓએ વિકલ્પ શોધવો જોઈએ. આનાથી તેમના પૈસા સુરક્ષિત રહેશે અને ધંધો કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ જણાવ્યું કે મોટી સંખ્યામાં નાના વેપારીઓ, વિક્રેતાઓ, હોકર્સ અને મહિલાઓ Paytm દ્વારા બિઝનેસ ચલાવી રહી છે. Paytm વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીને કારણે તેમના નાના ઉદ્યોગો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
કરોડો રૂપિયાના વ્યવહારો પ્રશ્નના ઘેરામાં છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm અને Paytm પેમેન્ટ્સ બેંક વચ્ચે કરોડો રૂપિયાના વ્યવહારો પ્રશ્નના ઘેરામાં છે. જેના કારણે વિજય શેખર શર્માની આગેવાની હેઠળની કંપની Paytm મુશ્કેલીમાં છે. કંપની સામે EDની તપાસની શક્યતા છે. કેન્દ્રીય બેંકે Paytm પેમેન્ટ બેંક પર કોઈપણ પ્રકારની થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 29 ફેબ્રુઆરી પછી બેંક સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. RBIએ ગ્રાહકોને પૈસા ઉપાડવા માટે 29 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

