આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત હર ઘર તિરંગા, મારી માટી મારો દેશ કાર્યક્ર્મ તેમજ સમગ્ર દેશમાં 15મી ઑગસ્ટના રાષ્ટ્રીય મહાપર્વનિ ઉજવણી થઈ હતી. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી રખિયાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે રખિયાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા દરેક ગ્રાહકને દેશની આન બાન અને શાન એવા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું..આ કાર્યક્ર્મ અંતર્ગત રખિયાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કાર્યકારી ચેરમેન મનહરભાઈ પટેલે દેશના શહીદોને યાદ કરીને આઝાદી પર્વનું મહત્વ લોકોને સમજાવ્યું હતું….

આ પ્રસંગે રખિયાલ ગામના સરપંચ નાથુસિંહ ઝાલા ,, રખિયાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કાર્યકારી ચેરમેન મનહર ભાઈ પટેલ,,, ખેડૂત આગેવાન ગોવિંદભાઇ પટેલ, યુવા કાર્યકર વિજય પટેલ, રાજુભાઈ ચૌધરી.. પિન્ટુસિંહ સહિત ગ્રામજનો અને દૂધ ડેરીના ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

