PMVY: જો તમે મહિલા છો અને ગર્ભાવસ્થાની સ્થિતિમાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ તમે 5,000 રૂપિયાની આર્થિક મદદ લઈ શકો છો. જો કે, સરકારે તેના માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તે પૂર્ણ કર્યા પછી જ તમે સરકારી મદદ માટે હકદાર બનો છો. આપને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓને તણાવમુક્ત અને પૌષ્ટિક આહર આપવાનો છે. આ સિવાય રાજ્ય સરકાર પણ મહિલાઓને પોતાના હિસાબે ગર્ભાવસ્થામાં મદદ કરે છે. ચાલો જાણીએ શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના?
કુપોષણની અસર થશે ઓછી
હકીકતમાં, કુપોષણથી પીડિત માતાઓને સારું સ્વાસ્થ્ય આપવા માટે સરકારે પીએમ માતૃ વંદના યોજના શરૂ કરી હતી. જેથી જે મહિલાઓ ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતી હોય. તેમને થોડી આર્થિક મદદ મળી શકે છે. જેથી તેઓ ખાવા માટે થોડો પૌષ્ટિક ખોરાક લઈ શકે. યોજના હેઠળ સ્તનપાન કરાવતી મહિલાઓને રોકડ રકમ આપવામાં આવે છે. તેમજ રૂપિયામાં કોઈ વચેટિયા નથી. પાત્ર મહિલાઓના ખાતામાં રૂપિયા સીધા જમા થાય છે. જેથી મહિલાઓને સ્વાસ્થ્યમાં લાભ મળી શકે.
આવી રીતે મળે છે 5,000 રૂપિયા
સરકારે પીએમ માતૃ વંદના યોજના હેઠળ 5000 રૂપિયા હપ્તામાં આપવાની વ્યવસ્થા કરી છે. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રેશન સમયે ગર્ભવતી મહિલાને 1000 રૂપિયા આપવામાં આવે છે. 2000 રૂપિયા છઠ્ઠા મહિના દરમિયાન બીજા હપ્તા તરીકે આપવામાં આવે છે. અંતે બાળકના જન્મ પછી ત્રીજા હપ્તા તરીકે 2000 રૂપિયા મોકલવામાં આવે છે. આ યોજના માત્ર એવી ગર્ભવતી મહિલાઓ માટે છે જે મજૂરી કરીને રૂપિયા કમાય છે. એટલે કે તેઓ ગરીબી રેખા નીચે જીવે છે.
પાત્રતા અને સુવિધાઓ
PMMVY યોજનાનો લાભ માત્ર ગરીબ મહિલાઓને જ આપવામાં આવે છે. તેની અરજી કરતી વખતે આવકનું પ્રમાણપત્ર જોડવામાં આવે છે. જેથી મહિલાની આર્થિક સ્થિતિ ચકાસી શકાય. તેની સાથે યોજનાનો લાભ લેતી મહિલાઓને આપવામાં આવતા આર્થિક પ્રોત્સાહનોથી સગર્ભા મહિલાઓ અને તેમના પરિવારોને ખર્ચમાં ઘણી મદદ મળી છે. તેની સાથે મહિલાઓને દવાઓ અને અન્ય ખાવા-પીવાની સુવિધાઓમાં પણ લાભ મળે છે.

