IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની સ્થિતિ થોડી વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. હૈદરાબાદ સામે જીત નોંધાવીને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને RCB માટે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.
જો CSKની વાત કરીએ તો ધોનીની ટીમ હાલમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. જો CSK તેની છેલ્લી મેચ જીતવામાં સફળ થાય છે, તો પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. છેલ્લી મેચ હારવાની સ્થિતિમાં CSKને પ્લેઓફની ટિકિટ મેળવવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 14 પોઈન્ટ મેળવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની બે મેચ બાકી છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આમાંથી એક પણ જીતવામાં સફળ થાય તો તેનું પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે.
ત્રણ ટીમો બહાર છે
લખનઉ સુપર જાયન્ટ્સ હાલમાં 13 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. લખનઉને પણ વધુ બે મેચ રમવાની છે. બંને મેચ જીતવા પર જ લખનઉની પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થશે. જો કે, મેચ હારના કિસ્સામાં લખનઉને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડી શકે છે. RCB પણ પ્લેઓફની રેસમાં યથાવત છે. આરસીબીના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જો RCB તેની છેલ્લી બંને મેચ જીતવામાં સફળ રહે છે, તો તેને પ્લેઓફની ટિકિટ મળવાની ખાતરી છે. જો RCB મેચ હારી જાય છે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા માત્ર નેટ રન રેટ પર જ રહેશે.
રાજસ્થાન રોયલ્સના માત્ર 12 પોઈન્ટ છે અને તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ જોકે પ્લેઓફની રેસમાં યથાવત છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, KKR અને દિલ્હી કેપિટલ્સ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

