38 C
Ahmedabad
Saturday, April 18, 2026

રામ નવમી પર આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે પૂજા પંડાલમાં લાગી આગ


રામ નવમીના અવસર પર અનેક જગ્યાએથી અકસ્માતના અહેવાલો સામે આવી રહ્યા છે. આવું જ કંઈક આંધ્ર પ્રદેશમાં થયું. રાજ્યના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તનુકુ મંડળના દુવા ગામમાં આવેલા વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ, મંદિરમાં રામ નવમીની ઉજવણી માટે લગાવવામાં આવેલા પંડાલમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, ભક્તો યોગ્ય સમયે પંડાલમાંથી બહાર આવી ગયા હતા, જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી.

રામનવમી નિમિત્તે અચાનક આગ લાગવાની માહિતી ફાયર બ્રિગેડને મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. અહેવાલો અનુસાર મંદિરની આસપાસના રસ્તાઓને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

જાન-માલનું નુકસાન નહીં

આ દુર્ઘટના અંગે સ્તારના એસપી રવિ પ્રકાશે જણાવ્યું કે પશ્ચિમ ગોદાવરીના વેણુગોપાલ સ્વામી મંદિરમાં સવારે લગભગ 11.45 વાગ્યે આગ લાગી હતી. પંડાલમાં આગ લાગતાની સાથે જ લોકો મંદિર પરિસરમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના

પોલીસે જણાવ્યું છે કે પંડાલમાં લગાવવામાં આવેલા વિદ્યુત ઉપકરણોમાં શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે મંદિરના પંડાલમાં આટલી ભયાનક આગ લાગી હતી. પોલીસે જણાવ્યું છે કે મંદિર પરિસરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો, પરંતુ આ આગને કારણે મંદિરની સંપત્તિને કોઈ ખાસ નુકસાન થયું નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -