25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

રેસિપી / નવરાત્રિના ઉપવાસ દરમિયાન બનાવો ફરાળી આલૂ પરાઠા, 5 મિનિટમાં તૈયાર થઈ જશે


જો કોઈ તમને પૂછે કે તમારે નાસ્તામાં શું જોઈએ છે? તો તમારામાંથી મોટાભાગના લોકો એવા હશે કે જેઓ નાસ્તામાં આલૂ પરાઠા ખાવાનું પસંદ કરતા હશે. આલૂ પરોઠા, તેના પર બટર અને ગરમ ચા, દિવસની શરૂઆત આટલી સારી હોય ત્યારે આખો દિવસ કેવો જશે તેની કલ્પના કરો. આલૂ પરાઠા લાંબા સમયથી લોકોના પ્રિય ખોરાકમાંથી એક છે. પછી તે નાસ્તો હોય, લંચ હોય કે ડિનર હોય, તમે તેને ક્યારેય ના પાડી શકતા નથી! પરંતુ જો કોઈ તમને નવરાત્રિના ઉપવાસ દરમિયાન આલૂ પરાઠા ખાવાનું કહે તો તમે શું કરશો, કારણ કે તમે ઉપવાસ દરમિયાન તેને ખાઈ શકતા નથી. પરંતુ જો તમને અમે ફરાળી આલૂ પરાઠા બનાવવાની રેસિપી જણાવીએ તો… હા, ફરાળી આલૂ પરાઠા.

વાસ્તવમાં, ઉપવાસમાં ઘઉંના લોટનું કે મેંદાનું સેવન કરવામાં આવતું નથી, પરંતુ ઉપવાસ દરમિયાન બટાટા ખાવામાં આવે છે. તો આજની રીતમાં બટેટાને છીણીને પરાઠા બનાવવા માટે શિંગોળાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફરાળી આલૂ પરાઠા બનાવવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે. કારણ કે તેને બનાવવા માટે ન તો લોટ બાંધવો પડે છે અને ન તો બટાકાને બાફવાના હોય છે. ચાલો જાણીએ તેની રેસિપી.

ફરાળી આલૂ પરાઠા બનાવવા માટે પહેલા 2 બટેટા લો અને તેને ધોઈને સારી રીતે છોલી લો. આ પછી તેને છીણીને એક વાસણમાં કાઢી લો. હવે બટાકામાં શિંગોળાનો લોટ ઉમેરો અને મિક્સ કરો, ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં, લીલા મરચાં, ધાણાજીરું, કાળા મરીનો પાવડર અને સિંધવ મીઠું ઉમેરો અને મિક્સ કરો. ધ્યાન રાખો કે તમારે તેમાં પાણી ભેળવવાનું નથી. હવે એક તવાને ગરમ કરો અને તેમાં ઘી લગાવો, હવે ચમચીની મદદથી મિશ્રણને તવા પર ચમચા વડે રેડો અને તેને પાતળું ફેલાવો અને પરાઠાને બંને બાજુથી શેકો. પાતળા પરાઠા બનાવવાનો પ્રયત્ન કરો. તમારા ટેસ્ટી ફરાળી પરાઠા તૈયાર છે. તેને ટામેટાની ચટણી અથવા દહીં સાથે ખાઓ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -