26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિને કેન્દ્ર સરકારની મંજૂરી, જાણો વિગત


પાંચ જજોના શપથ લીધા બાદ કોર્ટની કાર્યકારી શક્તિ 32 થઈ જશે

કેન્દ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની બઢતીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજીજુએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે- કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોના પ્રમોશનને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે ત્રણ મુખ્ય ન્યાયાધીશો અને હાઈકોર્ટના બે ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી. નિમણૂકોની પ્રક્રિયાને લઈને કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે લાંબા સમય સુધી ચાલતી ખેંચતાણ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ 5 નવા ન્યાયાધીશોની બઢતીને મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માટે મંજૂર કરાયેલા 5 નવા જજોમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટમાં કાર્ય શક્તિ વધશે

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં આ પાંચ જજોના શપથ લીધા બાદ કોર્ટની કાર્યકારી શક્તિ 32 થઈ જશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત કાર્યશક્તિ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડ સહિત 27ની છે. જ્યારે તેની ક્ષમતા 34 છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -