મકરસંક્રાંતિના અવસર પર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગજરાજની પૂજા કરી અને મંદિરમાં પૂજા પણ કરી.
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે મકરસંક્રાંતિના અવસર પર અમદાવાદમાં જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હાથમાં આરતીની થાળી લઈને પૂજા કરતા જોવા મળ્યા હતા. આ પછી ગૃહમંત્રી અમિત શાહે પણ ગજરાજને ભોજન કરાવ્યું હતું.
હિંદુ ધર્મમાં ગજરાજને ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહે ટ્વીટ કરીને મકર સંક્રાંતિના પર્વની સૌને શુભકામનાઓ પણ આપી હતી.”ઉત્તરાયણના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન સૂર્ય નારાયણ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. તેવું તેમણે ટ્વીટ કર્યું હતું..
બીજેપી નેતા અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણના તહેવાર પર તેમના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવતા જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

