મિડલ ઈસ્ટના જંગમાં ભારતનો ‘કૂટનીતિક વિજય’: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે રેડ કાર્પેટ બિછાવી, ઇંધણ સંકટ ટળશે
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધે જ્યારે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે, ત્યારે ભારત માટે રાહતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માં ભારતીય જહાજોને ‘સુરક્ષિત પેસેજ’ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યાં દુનિયાના અન્ય દેશોના જહાજો પર હુમલાનો ખતરો છે, ત્યાં ભારતીય જહાજો હવે નિર્ભય થઈને પસાર થઈ શકશે.
ઈરાનનું એલાન: ‘ભારત માટે અમારા દરિયા ખુલ્લા છે’
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ ઈરાનની નવી રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ભારત સાથેની અમારી દોસ્તી અતૂટ છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે:
“ભારત અમારો વ્યૂહાત્મક મિત્ર છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કોઈ જ જોખમ નથી. આગામી થોડા જ કલાકોમાં તમે ભારતીય તેલ ટેન્કરોની અવરજવર વધતી જોશો.”
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ઈરાને અમેરિકી અને પશ્ચિમી દેશોના જહાજો માટે આ માર્ગ લગભગ બંધ કરી દીધો છે. ભારતને મળેલી આ વિશેષ છૂટ પીએમ મોદીની ‘નેશન ફર્સ્ટ’ વિદેશ નીતિની મોટી સફળતા માનવામાં આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટ: ભારતનું ‘એનર્જી ગેટવે’
માત્ર 30 કિલોમીટર પહોળો આ દરિયાઈ માર્ગ ભારતની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે:
-
તેલનો પુરવઠો: ભારત પોતાની જરૂરિયાતનું 85% કચ્ચું તેલ આ જ રૂટ પરથી આયાત કરે છે.
-
LPG સંકટનો ઉકેલ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં સર્જાયેલી ગેસની તંગી હવે દૂર થશે, કારણ કે અટકેલા ટેન્કરો હવે ભારત પહોંચવા રવાના થશે.
-
વૈશ્વિક પ્રભાવ: દુનિયાના 20% તેલ વેપાર પર ઈરાનનો અંકુશ હોવા છતાં ભારતને મળેલી આ છૂટ ભારતની વૈશ્વિક શાખ દર્શાવે છે.
મોદીની ‘ફોન ડિપ્લોમેસી’એ સર્જ્યો ચમત્કાર
આ મોટી સફળતા પાછળ પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન વચ્ચેની તાજેતરની ટેલિફોનિક વાતચીત મુખ્ય છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઈરાન સમક્ષ ભારતીય હિતોની મજબૂત રજૂઆત કરી હતી. યુદ્ધના મેદાનમાં સીધા ઉતર્યા વગર ભારતે પોતાની ‘સોફ્ટ પાવર’ અને ‘ડિપ્લોમેસી’ દ્વારા દેશની એનર્જી સિક્યુરિટી સુનિશ્ચિત કરી લીધી છે.
- Advertisement -
- Advertisement -