T20 વર્લ્ડ કપ મહાજંગ: અમદાવાદમાં ભારત vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ! રવિવારે મોટેરાના આ રસ્તાઓ રહેશે ‘નો એન્ટ્રી’ ઝોન
ક્રિકેટ જગતની સૌથી મોટી લડાઈ આવતીકાલે અમદાવાદના આંગણે રમાવા જઈ રહી છે. 8મી માર્ચ, રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. 1 લાખથી વધુ દર્શકો અને VVIP મહેમાનોના આગમનને પગલે શહેર પોલીસે ટ્રાફિકનું ચુસ્ત જાહેરનામું બહાર પાડ્યું છે.
આ રસ્તાઓ રહેશે સંપૂર્ણ બંધ (સવારે 10:00 થી રાત્રે 02:00)
જો તમે આ વિસ્તારમાંથી પસાર થવાના હોવ તો ખાસ નોંધ લેજો:
-
જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ.
-
કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આખો માર્ગ.
-
આ સમયગાળા દરમિયાન આ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
ટ્રાફિક જામથી બચવા અપનાવો આ વૈકલ્પિક રૂટ (Diversion)
લોકોની સુવિધા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન આપ્યા છે:
-
તપોવન સર્કલ તરફથી આવતા લોકો: વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકશે.
-
પ્રબોધ રાવળ સર્કલ તરફથી આવતા લોકો: કૃપા રેસિડન્સી થઈ ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલનો ઉપયોગ કરી શકશે.
પોલીસનો માસ્ટર પ્લાન: 800 જવાનો તૈનાત
-
ખડેપગે સુરક્ષા: ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 800થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમની આસપાસ તેનાત રહેશે.
-
પાર્કિંગ વ્યવસ્થા: પ્રેક્ષકો માટે સ્ટેડિયમની નજીક વિવિધ પ્લોટ્સમાં પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
સ્પેશિયલ એક્શન પ્લાન: મેચ પૂરી થયા બાદ લાખોની ભીડ એકસાથે બહાર નીકળશે, તેને પહોંચી વળવા માટે પોલીસે ‘પોસ્ટ-મેચ ટ્રાફિક પ્લાન’ તૈયાર રાખ્યો છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ સૂચના:
જો તમારી પાસે મેચની ટિકિટ હોય તો શક્ય હોય તેટલા વહેલા સ્ટેડિયમ પહોંચવાનો આગ્રહ રાખવો. તેમજ ટ્રાફિક ટાળવા માટે જાહેર પરિવહન (મેટ્રો અથવા AMTS) નો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે.
- Advertisement -
- Advertisement -