29.8 C
Ahmedabad
Friday, March 6, 2026

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: અમિત શાહે ટીમ ઈન્ડિયાના શૌર્યને વધાવ્યું, કહ્યું- ‘ખેલાડીઓનો અતૂટ જુસ્સો પ્રશંસનીય છે’


ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં પ્રવેશ કરતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઇ ગયો હતો. આ ઐતિહાસિક સફળતા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને સોશિયલ મીડિયા પર ખાસ અભિનંદન પાઠવ્યા

અમિત શાહે ટીમની પ્રશંસા કરતા જણાવ્યું કે,”ટીમ ઈન્ડિયાએ અદભૂત રમતનું પ્રદર્શન કરીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા.ખેલાડીઓની મહેનત અને મેદાન પરનો તેમનો અજેય જુસ્સો ખરેખર કાબિલે-દાદ છે.આ જીત સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે. ફાઈનલ મેચ માટે પણ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ભારત 2024 અને 2026માં સતત બે વાર ફાઈનલમાં પહોંચનારી વિશ્વની ત્રીજી ટીમ બની છે (આ પહેલા પાકિસ્તાન અને શ્રીલંકા આ પરાક્રમ કરી ચૂક્યા છે..ભારતીય ટીમ કુલ 4થી વખત ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમશે (2007, 2014, 2024 અને હવે 2026). આ સાથે ભારત સૌથી વધુ ફાઈનલ રમનાર દેશ બની ગયો છે.

સંજુ સેમસનનો સપાટો

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડક્યો હતો:

  1. સ્કોર: ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા.

  2. હીરો: સંજુ સેમસને માત્ર 42 બોલમાં 89 રનની તોફાની ઈનિંગ રમી.

  3. બોલિંગ: હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી, જ્યારે બુમરાહ, અર્શદીપ અને અક્ષરે નિર્ણાયક સમયે વિકેટો ઝડપી ઈંગ્લેન્ડને 246 રન પર રોકી દીધું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -