₹25,000 કરોડના શિખર બેંક કૌભાંડમાં અજિત પવાર અને સુનેત્રા પવારને મોટી રાહત: કોર્ટે ક્લીનચીટનો રિપોર્ટ સ્વીકાર્યો
મુંબઈની એક ખાસ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (શિખર બેંક)માં કથિત ₹25,000 કરોડના લોન કૌભાંડમાં સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારને નિર્દોષ જાહેર કરનાર આર્થિક ગુના શાખા (EOW) ના અહેવાલને સ્વીકાર્યો..કોર્ટે ક્લોઝર રિપોર્ટને મંજૂરી આપી..જેમાં જણાવ્યું છે કે, આ કેસમાં કોઈ સજાપાત્ર ગુના સ્થાપિત થયા નથી.ખાસ કોર્ટે સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી પર આર્થિક ગુના શાખાના ‘સી-સારાંશ’ અહેવાલને સ્વીકાર્યો
મુંબઈની એક ખાસ અદાલતે ₹25,000 કરોડના મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (MSCB) કેસમાં આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર,સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને 70 થી વધુ લોકોને આ કેસમાં ક્લીન ચિટ આપવામાં આવી.
કોર્ટે કાર્યકર અણ્ણા હજારે અને અન્ય લોકો દ્વારા દાખલ કરાયેલ વિરોધ અરજીઓ તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ હસ્તક્ષેપ અરજી ફગાવી દીધી..ખાસ ન્યાયાધીશ મહેશ જાધવે સી-સારાંશ રિપોર્ટ સ્વીકાર્યો..જેમાં જણાવાયું કે, સહકારી ખાંડ ફેક્ટરીઓ સાથે સંકળાયેલી કથિત લોન અને વસૂલાતની ગેરરીતિઓમાં કોઈ ફોજદારી ગુનો સાબિત થયો નથી.આ આદેશે EOW ના નિષ્કર્ષને પણ સમર્થન આપ્યું કે અજિત પવાર, સુનેત્રા પવાર,તેમના સંબંધીઓ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યવહારોમાં કોઈ ફોજદારી ગુનો થયો નથી.
2019 માં બોમ્બે હાઈકોર્ટે MSCB અને જિલ્લા સહકારી બેંકોએ બેંક અધિકારીઓ અને રાજકારણીઓ સાથે જોડાયેલા લોકોના નામે લોન ખાતા બનાવવા માટે ખાંડ ફેક્ટરીઓને વ્યાજમુક્ત લોન આપી હોવાના આરોપોના આધારે FIR નોંધવાનો આદેશ આપ્યા બાદ આ કેસ શરૂ થયો હતો. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કંપનીઓએ ત્યારબાદ તેમની યુનિટ સંપત્તિઓ અત્યંત ઓછી કિંમતે વેચી દીધી હતી…EOW ના 35 પાનાના ક્લોઝર રિપોર્ટમાં ત્રણ મોટા વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી..સાતારામાં જરંદેશ્વર ખાંડ સહકારી ફેક્ટરી સહિત ખાંડ ફેક્ટરીઓના લોન મંજૂર કરવામાં અથવા વેચાણમાં કોઈ ગુનાહિત અનિયમિતતા જોવા મળી નથી.
- Advertisement -
- Advertisement -