ડબલ એન્જિન ગ્રોથ: આસામમાં હાઇવે પર ઉતરશે પીએમ મોદીનું વિમાન, રાફેલ અને સુખોઇ જેવા યુદ્ધવિમાનો માટે રસ્તો તૈયાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 વાગ્યે આસામના દિબ્રુગઢ જિલ્લામાં મોરન બાયપાસ પર બનેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર ખાસ વાયુસેનાના વિમાનમાં ઉતરશે.વડાપ્રધાન મોદીના ઉતરાણ સાથે હાઇવે પરનો આ રનવે વાયુસેનાના વ્યૂહાત્મક નેટવર્કનો ભાગ બનશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલી 4.2 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી ઉત્તરપૂર્વમાં આવી પહેલી સુવિધા છે..જે કટોકટીની પરિસ્થિતિઓમાં વાયુસેનાના ફાઇટર અને પરિવહન વિમાનના સંચાલનને મંજૂરી આપે છે..મોરન બાયપાસ પર બનેલી આ સુવિધા દૂરના વિસ્તારોમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી દરમિયાન પણ મહત્વપૂર્ણ સાબિત થશે..રનવે 40 ટન સુધીના ફાઇટર વિમાનો, જેમ કે રાફેલ અને સુખોઇ, અને 74 ટન સુધીના કાર્ગો વિમાનોને હેન્ડલ કરી શકે છે.મોરન બાયપાસ પર સ્થિત આ હવાઈ પટ્ટી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે.. તે ચીન સરહદની ખૂબ નજીક છે..ચાબુઆ અને તેજપુર જેવા મુખ્ય હવાઈ મથકો છે..જ્યાં ટેકનિકલ સમસ્યાના કિસ્સામાં આ પટ્ટીઓ પરથી દુશ્મનનો બદલો લઈ શકાય છે.
આકાશમાં શૌર્ય
વડાપ્રધાનના આગમન બાદ, વાયુસેના રાફેલ, સુખોઈ-30 MKI અને તેજસ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ તેમજ પરિવહન વિમાન અને હેલિકોપ્ટર સાથે એક ભવ્ય એર શોનું આયોજન કરશે…વડાપ્રધાનની મુલાકાત અને વિમાનના ઉતરાણને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરન બાયપાસ વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
₹5,450 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે ગુવાહાટીના લચિત ઘાટ ખાતે ₹5,450 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે..આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટીને વેગ આપવા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જાહેર પરિવહનમાં સુધારો કરવાનો છે..વડાપ્રધાન બ્રહ્મપુત્ર નદી પર આશરે ₹3,030 કરોડના ખર્ચે બનેલા કુમાર ભાસ્કર વર્મા પુલનું ઉદ્ઘાટન કરશે…આ 6-લેનનો પુલ ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 7 મિનિટ કરશે..ત્યારબાદ વડાપ્રધાન કામરૂપ જિલ્લાના અમીનગાંવ ખાતે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે અત્યાધુનિક રાષ્ટ્રીય ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.તેઓ IIM ગુવાહાટીનું પણ ઉદ્ઘાટન કરશે.ગુવાહાટી (100), નાગપુર (50), ભાવનગર (50) અને ચંદીગઢ (25) માં PM-eBus સેવા યોજના હેઠળ કુલ 225 ઇલેક્ટ્રિક બસોને પણ વડાપ્રધાન લીલી ઝંડી આપશે..જેથી 50 લાખથી વધુ નાગરિકોને સસ્તી જાહેર પરિવહન સેવાઓનો લાભ મળવાની અપેક્ષા છે.
- Advertisement -
- Advertisement -